શ્રીનગરમાં પંથા ચોક વિસ્તારમાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Aug 2020 09:08 AM (IST)
શ્રીનગરના પાંથા ચોક વિસ્તારમાં શનિવારે પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ‘નાકા’ પર આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હતું તેના બાદ અથડામણ શરુ થઈ હતી.
જમ્મુ: શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં વધુ બે આતંકીઓને ઠાર થયા છે. ગઈકાલે એક આતંકીને ઠાર કર્યો હતો. તેની સાથે આ અથડામણમાં સેનાએ ત્રણ આતંકી ઠાર કર્યા છે. જો કે, આ સંયુક્ત ઓપરેશનમાં એક જવાન પણ શહીદ થયા હતા. પોલીસના એક ASI શહીદ થયા છે. શ્રીનગરના પાંથા ચોક વિસ્તરામાં શનિવારે પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ‘નાકા’ પર આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હતું તેના બાદ અથડામણ શરુ થઈ હતી. આ પહેલા શનિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ અને સુરક્ષાદળોએ સાથે મળી ઓપરેશનને પાર પાડ્યું હતું. પુલવામાના જદુરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે અથડામણ શરૂ થઈ હતી.