વહેલી સવારથી જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રહેણાંક મકાનમાં 2-3 આતંકીઓ છુપાયા છે. હાલ સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે અથડામણ ચાલુ છે. બંને બાજુથી ફાયરિંગ ચાલુ છે અને ઈન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી છે. સેના, સીઆરપીએફ અને એસઓજીનું ઓપરેશન ચાલુ છે. જેમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
એક રક્ષા અધિકારીએ કહ્યું હતું કે, ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની અંદાજે પાંચ ચોકીઓને ગંભીર નુકસાન થયું છે. પાકિસ્તાની સેનાને સામાન્ય નાગરિકોના ઘરોમાંથી મોર્ટાર અને મિસાઇલ છોડતા દેખાયા છે. રાજૌરી અને પૂંછ જિલ્લામાં પણ પાકિસ્તાનીઓને નુકસાન પહોંચ્યું છે. હુમલા માટે પાકિસ્તાની સેના સામાન્ય નાગરિકોને માનવ કવચ તરીકે ઉપયોગ કરી રહી છે.
આ બધાંની વચ્ચે સરહદ પર આવેલા વિસ્તારોમાં રહેવાસી લોકોના ઘરોમાંથી મોર્ટાર અને મિસાઈલ છોડતા જોવા મળી રહ્યા છે. પીઆરઓના કહેવા પ્રમાણે, ભારતીય સેનાએ સામાન્ય નાગરિકોની વસતિથી અલગ પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી હતી. તેના લીધે મોટી સંખ્યામાં પાકિસ્તાન સૈનિકો ગભરાયા છે. બંને બાજુથી ગોળીબારમાં ભારતીય સેનાના પાંચ સૈનિકોને નજીવી ઈજા પહોંચી છે. તેમાંથી બેને સારવાર માટે સેનાની હોસ્પિટલમાં લઇ જવાયા છે.