પાકિસ્તાને ગત મોડી રાતે યુદ્ધવિરામભંગ કર્યો હતો અને પૂંછ જિલ્લા નજીક નાના હથિયારો સાથે ગોળીબાર કરી અને મોર્ટાર ફેંક્યા હતા. જો કે, ત્યારે જ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં કોઇ જાનહાની થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાને માલ્ટી અને ખારી કરમારા સેક્ટરને નિશાન બનાવ્યું હતું.