જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં પુલવામા પાસે ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. પોલીસે આતંકવાદીઓ પાસેથી હથિયારોનો જથ્થો કબ્જે કર્યો છે.


પાકિસ્તાને ગત મોડી રાતે યુદ્ધવિરામભંગ કર્યો હતો અને પૂંછ જિલ્લા નજીક નાના હથિયારો સાથે ગોળીબાર કરી અને મોર્ટાર ફેંક્યા હતા. જો કે, ત્યારે જ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં કોઇ જાનહાની થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાને માલ્ટી અને ખારી કરમારા સેક્ટરને નિશાન બનાવ્યું હતું.