શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનામાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આતંકીઓએ અનંતનાગના પંચાયત ઘર પર ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે.


આ પહેલા શ્રીનગરમાં કાશ્મીર યુનિવર્સિટીની બહાર એક બ્લાસ્ટ થયો હતો. જ્યારે કુલગામમાં એક સરકારી કાર્યક્રમમાં પણ આઈડી બ્લાસ્ટ થયો છે. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે.  પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને બોમ્બમાં કયા પ્રકારના વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામા આવ્યો છે તેની તપાસ કરી રહી છે.

અનંતનાગની સાથે કાશ્મીરના હઝરતબલ દરગાહ પાસે મંગળવારે એક રહસ્યમય વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના રિપોર્ટ્સ છે.