જમ્મુ-કાશ્મીર: અનંતનાગના કેપી ચોક વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં પાંચ જવાનો શહીદ થઈ ગયા છે અને બે આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે એક એચએસઓ ગંભીર રીતે ઘાયલ હોવાના સમાચાર છે.  હુમલાની જવાબદારી અલ અમર મુઝાહિદ્દીન નામના આતંકી સંગઠને લીધી છે.




પ્રાપ્ત માહિતી અનુસાર આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસન ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલમાં સીઆરપીએફના કેટલાક જવાનો ઘાયલ થઈ ગયા છે. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં શહીદ થઈ ગયા છે. શહીદોમાં એક એએસઆઈ પણ સામેલ છે. જે વિસ્તારમાં હુમલો થયો છે તે ખૂબજ વ્યસ્ત વિસ્તાર છે. આતંકીઓએ તેનો ફાયદો ઉઠાવીને પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો.