જમ્મુ: જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી)ની નજીક સૈન્યના જવાનો અને આંતકવાદીઓની વચ્ચે થયેલા સંઘર્ષમાં આજે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.


રક્ષા પ્રવક્તા કર્નલ એસ ડી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પૂંછના સાબ્જિયા વિસ્તારમાં આતંકવાદીઓએ ભારતીય સીમામાં પ્રવેશ કરવાની કોશિશ કરતા સૈન્યના જવાનો અને
આતંકવાદીઓની વચ્ચે થયેલા સંઘર્ષમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓ અને જવાનો વચ્ચે સંઘર્ષ 36 કલાક ચાલ્યો હતો. હાલ તપાસ કામગીરી ચાલુ છે.