કાનપુર ટ્રેન દુર્ધટના: ડીઆરએમની બદલી 5 અધિકારી સસ્પેંડ
abpasmita.in | 22 Nov 2016 10:41 PM (IST)
કાનપુર: ભારતીય રેલવેના પ્રવક્તા અનિલ સક્સેનાએ જાણકારી આપી છે કે ઝાંસી રેલવે ડિવીઝનના ડીઆરએમ સંતોષ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે, જ્યારે છ એંન્જિનિયર્સને સસ્પેંડ કર દેવામાં આવ્યા છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુ અને રેલવે રાજ્ય મંત્રી મનોજ સિંહાએ કહ્યું કે આ દુર્ધટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે અને જે સ્તર પર લાપરવાહી સામે આવશે તેમની સામે કડક પગલા ભરવામાં આવશે. રેલવેના સુત્રો મુજબ ઝાંસીના ડીઆરએમ સંતોષ અગ્રવાલની બદલી અને પાંચ અધિકારીને સસ્પેંડ કર્યા બાદ વધુ કેટલાક અધિકારીઓ પણ આ મામલે ફસાઈ શકે છે. ઉલ્લ્ખનિય છે કે રવિવારે કાનપુરના પુખરાયામાં ઈંદોર પટના એક્સપ્રેસ દુર્ધટના સર્જાઈ હતી, જેમાં 150 લોકોના મોત થયા હતા જ્યારે 200 થી વધારે લોકો ધાયલ થયા હતા.