કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે 29 એપ્રિલે રાજ્યની મુલાકાત લેશે. તેઓ છ દિવસમાં 12 થી 15 જાહેર સભાઓ/રેલીઓ અને રોડ શો કરશે. પીએમ મોદી 28 એપ્રિલ, 29 એપ્રિલ, 3, 4, 6 અને 7 મેના રોજ પ્રચાર કરશે.


કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના જણાવ્યા અનુસાર પીએમ મોદી પોતાના પ્રચારની શરૂઆત બેલગાવીથી કરશે. તેઓ કર્ણાટકના સૌથી મોટા જિલ્લાઓમાંના એક બેલગાવીમાં ચિકોડી, કિત્તુર અને કુડાચીની મુલાકાત લેશે. વડાપ્રધાન ઉત્તર કન્નડ જિલ્લાની પણ મુલાકાત લેશે. કર્ણાટક એકમાત્ર દક્ષિણનું રાજ્ય છે જ્યાં ભાજપ સત્તામાં છે.


હિજાબ વિવાદની ચૂંટણી પર કોઈ અસર જોવા મળી નથી


કર્ણાટકના ઉડુપીમાં હિજાબ વિવાદની ચૂંટણી પર કોઈ અસર થાય તેવું લાગતું નથી. 10મી મેના રોજ મતદાન થવાનું છે, પરંતુ કોઈ રાજકીય પક્ષે આ મુદ્દે ખાસ ચર્ચા કરી નથી. જો કે, ભાજપે યશપાલ સુવર્ણા પર દાવ લગાવ્યો છે, જેઓ ઉડુપીમાં હિજાબનો વિરોધ કરી રહ્યા છે. ઉડુપીની સરકારી શાળામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ક્લાસમાં બેસવાની ફરજ પાડવામાં આવ્યા બાદ શરૂ થયેલો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.


સર્વોચ્ચ અદાલતે વચગાળાનો આદેશ આપ્યો હતો અને વર્ગખંડોમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમને નિર્ધારિત સ્કૂલ ડ્રેસ પહેરવા કહ્યું હતું. એવું માનવામાં આવતું હતું કે કર્ણાટક ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બનશે. ઉડુપીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય રઘુપતિ ભટના બદલે તક મેળવનાર સુવર્ણાનું કહેવું છે કે આ વિવાદ રાષ્ટ્રવિરોધી અને અસામાજિક તત્વો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ લોકો નથી ઈચ્છતા કે મુસ્લિમ છોકરીઓ ભણે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉડુપી જિલ્લામાં 13માંથી 12 બેઠકો જીતી હતી






Karnataka Election : કર્ણાટકમાં કોણ મારશે બાજી? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો


Karnataka Assembly Election 2023 Survey : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ વાગી રહી છે. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. દરેક પાર્ટી સત્તા માટે પોતપોતાના દાવા કરી રહી છે. ભાજપનું કહેવું છે કે, તે ફરીથી સરકાર બનાવશે. તો કોંગ્રેસનો દાવો છે કે તેને 150થી વધુ સીટો મળશે. જ્યારે દેવગૌડાની જેડીએસ પણ ચૂંટણીને લઈને દાવા કરી રહી છે. પરંતુ તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 


આ સર્વે દ્વારા જનતાનો મૂડ કેવો છે અને મતદારોનો ઝુકાવ કેવો છે તેનો તાગ મેળવવામાં આવ્યો હતો. જનતાના મિજાજ સાથે પક્ષોના દાવા ક્યાં સુધી મેળ ખાય છે તે આ સર્વેમાં જાણી શકાયું હતું. TV9 એ C-Voter સાથે મળીને એક મેગા સર્વે હાથ ધર્યો હતો.


સર્વેમાં સામે આવ્યું હતું કે, જૂના મૈસુરની 55 બેઠકોમાંથી ભાજપને 4 થી 8 જ્યારે કોંગ્રેસને 21 થી 25 બેઠકો મળી શકે છે. તો કિત્તુર કર્ણાટકમાં 50 બેઠકોમાંથી ભાજપને 21થી 25 અને કોંગ્રેસને 25થી 29 બેઠકો મળી શકે છે. જેડીએસને 1 સીટ મળવાની આશા છે.


કોસ્ટલ કર્ણાટકની વાત કરવામાં આવે તો અહીં 21 બેઠકોમાંથી ભાજપને 16થી 20 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 1થી 5 બેઠકો મળવાની ધારણા છે. તેવી જ રીતે કલાના કર્ણાટકની 31 બેઠકોમાંથી ભાજપને 11થી 15 બેઠકો, કોંગ્રેસને 16થી 20 બેઠકો મળી શકે છે. જેડીએસને 1 સીટ મળી શકે છે