કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પરમેશ્વરના PAએ કરી આત્મહત્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Oct 2019 08:25 PM (IST)
કોંગ્રેસ કાર્યકર્તાઓએ રવિવારે ઈનકમ ટેક્સ વિભાગ પર હેરાનગતિના આરોપ લગાવતા પ્રદર્શન કર્યું હતું.
બેંગલૂરૂ: કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરના ઠેકાણાઓ પર ઈનકમટેક્સ અને EDના દરોડા બાદ પીએ રમેશે આત્મહત્યા કરી લીધી છે. કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરના પીએએ શનિવારે રમેશની લાશ બેંગલુરુ યુનિવર્સિટીના ઝાડ પર ફાંસી લટકાવેલી હાલતમાં મળી આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. સુસાઈડ નોટમાં રમેશે દરોડાથી હેરાન થવા અને સન્માનની રક્ષા માટે જીવ આપવાની વાત કહી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ રવિવારે ઈનકમ ટેક્સ વિભાગ પર હેરાનગતિના આરોપ લગાવતા પ્રદર્શન કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, રમેશ આઠ વર્ષથી પરમેશ્વરના ખાનગી સહાયક હતા. તેમણે નોટમાં ઈનકમ ટેક્સ અધિકારીઓને પોતાના પરિવારજનોને હેરાન ન કરવાની અપીલ કરી છે.