Karnataka Election Result 2023: સિદ્ધરમૈયા કે ડીકે શિવકુમાર ? કર્ણાટકમાં કોણ છે કૉંગ્રેસના CM પદના દાવેદાર

કર્ણાટકમાં કોંગ્રેસની મોટી જીત સાથે સવાલો ઉભા થઈ રહ્યા છે કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે રાજ્યમાં મુખ્યમંત્રીની કમાન કોને મળશે ?

Continues below advertisement

કર્ણાટકમાં કોંગ્રેસની મોટી જીત સાથે સવાલો ઉભા થઈ રહ્યા છે કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે રાજ્યમાં મુખ્યમંત્રીની કમાન કોને મળશે ? મુખ્યમંત્રીની પસંદગી માટે રવિવારે સાંજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. જો કે આ પહેલા સુત્રો જણાવી રહ્યા છે કે સિદ્ધારમૈયાને સીએમ બનાવવામાં આવી શકે છે.

Continues below advertisement

કોંગ્રેસના 75 વર્ષીય નેતા સિદ્ધારમૈયા જ્યારે શનિવારે મૈસુરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરવા પહોંચ્યા ત્યારે તેઓ નવી ઊર્જાથી ભરપૂર હતા. સિદ્ધારમૈયાએ કહ્યું કે 'આ (કર્ણાટકમાં ચૂંટણી પરિણામો) 2024માં કોંગ્રેસની જીત તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

ચૂંટણી પંચના 11.30 વાગ્યા સુધીના આંકડા મુજબ કોંગ્રેસને બહુમતી મળી છે. ચૂંટણી પંચે કહ્યું કે કોંગ્રેસે 135 બેઠકો જીતી છે અને એકમાં આગળ છે. તે જ સમયે, બીજેપી 65 અને જેડીએસ 19 સીટો પર આવી ગઈ છે.

સિદ્ધારમૈયાનો દાવો શા માટે મજબૂત છે


લગભગ અઢી દાયકાથી 'જનતા પરિવાર' સાથે સંકળાયેલા અને કોંગ્રેસ વિરોધી વલણ માટે જાણીતા સિદ્ધારમૈયા 2006માં કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે તેઓ કર્ણાટકમાં મુખ્યપ્રધાન પદ માટે સૌથી આગળ ગણાય છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ વિધાનસભા ચૂંટણી પહેલા ઘણી વખત કહ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. આ પછી હું ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્ત થઈશ. જોકે, શનિવારે સિદ્ધારમૈયાએ સંકેત આપ્યો હતો કે તેમની નજર ભવિષ્યની શક્યતાઓ પર ટકેલી છે. તેમણે ફરી એકવાર મુખ્યમંત્રી પદ સંભાળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પ્રદેશ એકમના અધ્યક્ષ ડીકે શિવકુમાર મુખ્ય પ્રધાન પદના મુખ્ય દાવેદાર છે. સિદ્ધારમૈયાએ 2013 થી 2018 સુધી મુખ્યમંત્રી તરીકે રાજ્યની બાગડોર સંભાળી છે.

ખડગેને પાછળ છોડી સિદ્ધારમૈયા સીએમ બન્યા છે

સિદ્ધારમૈયા વર્ષ 2013માં મલ્લિકાર્જુન ખડગે (હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ) અને તત્કાલીન કેન્દ્રીય શ્રમ મંત્રીને હરાવીને મુખ્યમંત્રી બન્યા હતા. સિદ્ધારમૈયા 2006માં કોંગ્રેસમાં જોડાયા હતા. આ પહેલા તેઓ લગભગ અઢી દાયકાથી 'જનતા પરિવાર' સાથે જોડાયેલા હતા અને તેમના કોંગ્રેસ વિરોધી વલણ માટે જાણીતા હતા.

2004 માં ખંડિત જનાદેશ પછી, કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) એ કર્ણાટકમાં ગઠબંધન સરકારની રચના કરી જેમાં કોંગ્રેસના નેતા એન. ધરમ સિંહ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન જેડી(એસ) નેતા સિદ્ધારમૈયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

સિદ્ધારમૈયા કુરુબા સમુદાયમાંથી આવે છે

સિદ્ધારમૈયા કુરુબા સમુદાયના છે અને આ સમુદાય રાજ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવે છે. સિદ્ધારમૈયાને જેડી(એસ)માંથી બરતરફ કર્યા પછી, પાર્ટીના ટીકાકારોએ દાવો કર્યો હતો કે તેમને દૂર કરવામાં આવ્યા હતા કારણ કે જેડી(એસ)ના નેતા એચ.ડી. દેવેગૌડા કુમારસ્વામીને પક્ષના નેતા બનાવવા ઉત્સુક હતા. તે સમયે પણ સિદ્ધારમૈયાએ 'રાજકારણમાંથી નિવૃત્તિ' લેવાની અને વકીલાતના વ્યવસાયમાં પાછા ફરવાની વાત કરી હતી.

Continues below advertisement
Sponsored Links by Taboola