બેંગલુરૂ: કર્ણાટકમાં કોરોના સંક્રમણને ફેલાતા રોકવા માટે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા વિમાન, ટ્રેન અને વાહનને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકાર દ્વારા કોરોના સંક્રમણને રાજ્યમાં ફેલાતું રોકવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.




દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.

કોરોનાના કારણે દેશના 13 શહેરોની હાલત ખરાબ છે. અહીં 70 ટકા કેસ છે. જેમાં મુંબઈ,ચેન્નઈ, દિલ્હી, અમદાવાદ,ઠાણે,પુણે,હૈદરાબાદ,કોલકાતા, ઈન્દોર, જયપુર,જોધપુર, ચેંગલપટ્ટૂ અને તિરૂવલ્લુર સામેલ છે.