કરૂણનીધિ બિમાર પડતાં જ પાર્ટીના અનેક કાર્યકર્તાઓ તેમના ઘરે પહોચી ગયા હતા. જો કે કરૂણાનીધિના પૂત્ર સ્ટાલિને કહ્યું કે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપિલ કરી છે.
ગઈકાલના કાવેરી હોસ્પિટલના મેડિકલ બુલેટિનના જણાવ્યા અનુસાર વધતી જતી ઉમરના કારણે જ કરુણાનિધિની તબિયત લથડી છે. તેમને વારંવાર તાવ આવે છે. આ ઉપરાંત તેમને યુરિનમાં ઈન્ફેકશન થયું છે. કરૂણાનિધિના ખબર અંતર પૂછવા માટે પનીરસેલ્વમ અને કમલ હાસન સહિતના અન્ય નેતાઓ ગયા હતા. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાથર્ના કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, એમ કે સ્ટાલિન અને કનિમોઝી સાથે વાત કરી. તેમને કરૂણાનિધિની તબીયત વિશે પુછ્યું. હું કરૂણાનિધિના જલ્દી સ્વસ્થ થવાની મંગલકામના કરુ છું.