એક વખત ફરી આતંકવાદીઓએ રાષ્ટ્રીય રાઈફલ્સને નિશાન બનાવ્યું છે. 30 રાઈફલ્સના સેના કેમ્પ પર સવારે 6 કલાકે ફાયરિંગ કરવામાં આવી જેનો જવાબ સેનાના જવાનોએ આપ્યો. સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે અને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અંદાજે 20 મિનિટ સુધી સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી થઈ.
તમને જણાવીએ કે હંદવાડાનું 30 રાષ્ટ્રીય રાફાઈલનું કેમ્પ બારામૂલાના રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પની પાસે જ આવેલ છે. ત્રણ દિવસ પહેલા આતંકવાદીઓએ બારામૂલાના 46 રાષ્ટ્રીય રાઈફલ કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પણ આતંકવાદી ભાગવામાં સફળ રહ્યા હતા.