શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ મોહન પ્રસાદ થપલિયાલે જણાવ્યું કે, કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલે વિધિવત પૂજા અર્ચના બાદ સવારે ખોલવામાં આવશે. બદ્રીનાથના કપાટ 30 એપ્રિલના રોજ સવારે સાડા ચાર વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.
ગઢવાલ હિમાલય પહાડોની વચ્ચે આવેલા ચાર ધામમાંથી એક પ્રસિદ્ધ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ શિયાળમાં ભારે બરફવર્ષા અને ઠંડીના કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ કરવામાં આવે છે. જે આગામી વર્ષે એપ્રિલ-મે મહિનામાં શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે.