નવી દિલ્લીઃ કોંગ્રેસનાં નેતા અને રાષ્ટ્રપતિનાં પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપો લગાવતા કહ્યું કે કેજરીવાલ સરકારે મહિલાઓની સુરક્ષાને લગતા 'આવાઝ ઉઠાઓ'  મંચ જેવા અનેક એવા મહિલા લક્ષી કાર્યક્રમો બંધ કરી દીધા અને સામે એને પૂરક એવા કોઇ કાર્યક્રમો શરુ નથી કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલે ચૂંટણીઓમાં દિલ્હીની જનતાને કરેલા મોટા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે.