નવી દિલ્લીઃ અરવિંદ કેજરીવાલના ઘર બહાર હાલમાં કોઇ પણ પ્રકારની ધરણા પ્રદર્શન પર રોક લગાવી દેવામાં આવી છે. એસડીએમે એક આદેશમાં સીએમ નિવાસની સાથે ફ્લેગ સ્ટાફ રોડ, ભીખુ રામ જૈન રોડ, આઇ પી કૉલેજ તિરાહામાં 31 ઓગસ્ટ સુધી કલમ 144 લગાડવામાં આવી છે. આ નિયમનું ઉલ્લઘંન કરનાર પર કાનૂની કર્યવાહી કરવામાં આવશે.


સ્થાનિય એસડીએમ બી.કે.ઝાએ પોતાના આદેશમાં કહ્યું છે કે, સુરક્ષાના કારણોસર 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સીએમ અરવિંદ કેજરીવાલના ઘરની આસપાસ કલમ 144 લગાડીમાં આવી છે. હવે આ એરિયામાં ઘરણા પ્રદર્શન અને સૂત્રો પોકારવા પર રોક લગાડવામાં આવી છે. આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ કરવામાં આવી છે.