દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, એલજી દિલ્હી કેબિનેટની સલાહ માનવા માટે બંધાયેલ નથી. 'દિલ્હીના વહીવટકર્તા એલજી જ રહેશે.' કોર્ટે દિલ્હી સરકાર પાસે કમિશન બનાવવાનો અધિકાર છે કે નહી સહિતની 9 અલગ અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી.
હાઈકોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારના અધિકારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્રાન્ચ(એસીબી) કોઈ એક્શન ન લઈ શકે. હાઇકોર્ટના નિર્ણય પર આપ સરકારના વકીલે કહ્યુ હતું કે અમે આ ચુકાદા વિરુદ્ધ સંવૈધાનિક બેન્ચ સુધી અપીલ કરીશું.