કિરણ બેદીને પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ પદ પરથી હટાવાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Feb 2021 09:49 PM (IST)
કિરણ બેદીને પુડ્ડુચેરીના ઉપનરાજ્યપાલ પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ તેલંગણાના રાજ્યપાલ તમિલસાઈ સુદરરાજનને વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
ફાઈલ તસવીર
નવી દિલ્હી: કિરણ બેદીને પુડ્ડુચેરીના ઉપનરાજ્યપાલ પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ તેલંગણાના રાજ્યપાલ તમિલસાઈ સુદરરાજનને વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. કિરણ બેદીને 29 મે 2016ના ઉપરાજ્યનપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પુડ્ડુચેરીની કૉંગ્રેસ સરકાર અને કિરણ બેદી વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો હતો. મુખ્યમંત્રી વી.નારાયણસ્વામીએ 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદન આપી તેમને આગ્રહ કર્યો હતો કે પૂર્વ આઈપીએસ અધિકારીને પરત બોલાવવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે તે 'તુગલક દરબાર' ચલાવી રહ્યા છે.