ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે અને દૈનિક કેસની સંખ્યા પણ ત્રણ લાખને પાર થઈ ગઈ છે. ગરમ પાણી પીવાથી કે નાસ લેવાથી કોરોના ખતમ થઈ જતો હોવાનું ઘણા લોકો કહે છે. આ અંગે યૂનિસેફ ઈન્ડિયાએ (Unisef India) તેના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલા જવાબ સાંભળીને આશ્ચર્યમાં પડી જશો.


શું નાસ લેવાથી કોરોના નથી થતો ?


શું ખરેખર નાસ લેવાથી કોરોનાનો પ્રભાવ ઓછો કરી શકાય છે ? યૂનિસેફ સાઉથ એશિયાના રિઝનલ એડવાઇઝર એન્ડ ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પોલ રટરે આ વીડિયોમાં જણાવ્યું કે, નાસ લેવાથી કોવિડ-19ને ખતમ કરી શકાય છે તેવા કોઈ પુરાવા નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કોરોનાની સારવારમાં નાસ લેવાની સલાહ આપતું નથી.


સતત નાસ લેવાથી શું થઈ શકે ?


નાસ લેવાથી અનેક ખરાબ પરિણામ આવી શકે છે. સતત નાસ લેવાથી ગળા અને ફેફસા વચ્ચે આવેલી શ્વાસનળી તથા કાકડા (pharynx)ને ગંભીર રીતે નુકસાન પહોંચી શકે છે. જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલું જ નહીં વાયરસ ખૂબ સરળતાથી તમારા શરીરમાં પ્રવેશી શકશે. નાસ લેવાની આડઅસરને જાણ્યા વગર તેનો ઉપયોગ કરતાં લોકોને સાવધાન કરવા માટે યૂનિસેફ ઈન્ડિયાએ આ જાણકારી આપી છે.



એક્સપર્ટ્સના કહેવા મુજબ, નાસને લઈ લોકોના મનમાં ખોટી રીતે એક અસુરક્ષાની ભાવના પેદા થઈ રહી છે, આ વસ્તુ લોકોના ફેફસાના અંદરના ભાગને ખરાબ કરી શકે છે.


નીતિન પટેલની નજીકના ક્યા માણસને થયો કોરોના ? રૂપાણી સરકારના ક્યા સીનિયર મિનિસ્ટરના અંગત સચિવનું કોરાનામાં થયું મોત ? 


મહારાષ્ટ્રથી ગુજરાતના આ મોટા શહેરમાં આવેલા સાત લોકો સામે કેમ નોંધાયો ગુનો ?


Gujarat Lockdown: સૌરાષ્ટ્રના વધુ એક મોટા તાલુકામાં 5 દિવસનું લોકડાઉન, લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા