કોર્ટે કુલદીપ સેંગરને ગુનાહિત કાવતરુ કરવાના કેસમાં દોષિત ઠેરવાયા હતા. નિર્ણય સંભળાવતા કોર્ટના જજે કહ્યું કે આ મારી લાઇફનો સૌથી પડકારરૂપ ટ્રાયલ હતું. જસ્ટિસે સીબીઆઇ અને પીડિતના વકીલની પણ પ્રશંસા કરી હતી. કોર્ટે આ અગાઉ 29 ફેબ્રુઆરીના રોજ આ મામલામાં સુનાવણી કરી હતી અને નિર્ણય માટે ચાર માર્ચની તારીખ નક્કી કરી હતી.
આ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, કામતા પ્રસાદ (સબ ઇન્સ્પેક્ટર), અશોક સિંહ ભદૌરિયા, વિનીત મિશ્રા ઉર્ફ વિનય મિશ્રા, બીરેન્દ્ર સિંહ ઉર્ફ બઉવા સિંહ, શશિ પ્રતાપ સિંહ ઉર્ફ સુમન સિંહ અને જયદીપ સિંહ ઉર્ફ અતુલ સિંહને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. શૈલેન્દ્ર સિંહ, રામશરણ સિંહ, અમીર ખાન, કોન્સ્ટેબલ અને શરદવીર સિંહને કોર્ટે નિર્દોષ છોડ્યા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસને ઉત્તર પ્રદેશ બહાર શિફ્ટ કરી દીધો હતો ત્યારબાદથી તીસ હજારી કોર્ટમાં આ મામલાની સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં પીડિતાના પક્ષથી કુલ 55 લોકોએ સાક્ષી આપી. જ્યારે બચાવ પક્ષ તરફથી ફક્ત નવ સાક્ષીઓ કોર્ટમાં રજૂ થયા