AIIMS એ કહ્યું- 'એકદમ ફિટ' તો ભડક્યાં લાલૂ, કહ્યું- 'કાવતરૂ કરી મને પાછા મોકલી રહ્યા છે મોદીના ડૉક્ટર'
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Apr 2018 05:46 PM (IST)
નવી દિલ્લી: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવને એઈમ્સથી રાંચી મોકલી દેવામાં આવ્યા છે. લાલૂ છેલ્લા ધણા દિવસોથી એઈમ્સમાં સારવાર કરાવી રહ્યા હતા. એઈમ્સ પ્રસાશને કહ્યું મેડિકલ બોર્ડની સલાહ પર લાલૂ યાદવને એઈમ્સથી રાંચી મેડિકલ કૉલેજમાં મોકલવામાં આવી રહ્યા છે અને હવે તેઓ યાત્રા કરવા માટે ફિટ છે. લાલૂ પ્રસાદ યાદવે એઈમ્સના ઈ નિર્ણય પાછલ રાજકિય કાવતરૂ હોવાનો આરોપ લગાવ્યો છે. લાલુપ્રસાદ યાદવને 34 દિવસ પછી અહીંના એઇમ્સમાંથી સોમવારે રજા આપી દેવામાં આવી. તેમને 28 માર્ચના રોજ રાંચી મેડિકલ કોલેજથી ઇલાજ માટે દિલ્હી લાવવામાં આવ્યા હતા. એઇમ્સામાંથી ડિસ્ચાર્જ થતા પહેલા તેમણે મેનેજમેન્ટને ચિઠ્ઠી લખીને લગભગ 5 બીમારીઓનો હવાલો આપ્યો અને કહ્યું કે હાલ તેમની તબિયત ઠીક નથી. આ પહલા સવારે લાલુએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. રાહુલે લાલુને મળીને તેમની તબિયતના સમાચાર જાણ્યા હતા. લાલૂ પ્રસાદ યાદવે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું, સમગ્ર દેશ જાણે છે કે અધુરી સારવાર કરી કાવતરૂ રચી મોદીના ડૉક્ટર મને પાછા રાંચી રિમ્સમાં મોકલી રહ્યા છે. જેને લઈને મે એઈમ્સને પત્ર પણ લખ્યો છે. મને પાછા મોકલવા પાછળ એક રાજકિય કાવતરૂ છે. આરજેડી પ્રવક્તા મનોજ ઝાએ લાલૂ યાદવને પાછા રાંચી મોકલવાના એઈમ્સના નિર્ણય માટે સરકારને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું, જે લોકો રાજકિય લડાઈ નથી જીતી શક્યા તેઓ હવે સ્વાસ્થ સાથે રમત રમવાનું કાવતરૂ કરી રહ્યા છે. અમને બધાને લાલૂજીના સ્વાસ્થની ચિંતા છે.