નવી દિલ્હીઃ દેશભરમાંથી લૉકડાઉન-2ની આજથી શરૂઆત થઇ ગઇ છે. 3 મે સુધી લંબાવાયેલા લૉકડાઉનમાં સરકારે 20મી તારીખ પછી કેટલાક વસ્તુઓ અને સર્વિસો શરૂ કરી છે, જેમાં ખેડૂતોની ગતિવિધિઓ અને કામને છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલી ગાઇડલાઇન્સમાં કૃષિ ક્ષેત્ર માટે ખાસ છૂટ આપવામાં આવી છે.




ખેતી માટે સરકારેની છૂટછાટ.....
ખેડૂતો-મજૂરો દ્વારા ખેતરમાં કામકાજ ચાલુ રહેશે.
જે એજન્સીઓ ખેતી સાથે જોડાયેલી છે, પ્રૉડક્ટ, એમએસપીને લઇને કામ કરી રહી છે તે ચાલુ રહેશે.
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે એપીએમસી અંતર્ગત આવનારી બધી મંડી ખુલી રહેશે.
ખેતી કામમાં આવનારા મશીનોની દુકાનો, સ્પેર પાર્ટ્સની દુકાનો ખુલ્લી રહેશે.
પાક કાપણી સાથે જોડાયેલા મશીનોને એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં જવાની અનુમતી મળશે.
ફર્ટિલાઇઝર-બીજની દુકાનો, પ્રૉક્શન અને સપ્લાય ચાલુ રહેશે.



પશુપાલન માટે પણ સરકારે આપી છૂટછાટ.....
દુધના સપ્લાય, ડિસ્ટ્રીબ્યૂશનને મંજૂરી, મિલ્ક પ્લાન્ટ સપ્લાય કરી શકશે.
મુર્ગા પાલનને મંજૂરી.
ગૌશાળાની સુવિધા ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે એક ખાસ ગાઇડલાઇન જાહેર કરીને રોજિંદ જીવન સાથે સંકળાયેલી વસ્તુઓ અને સર્વિસને છૂટછાટ આપવાની જાહેરાત કરી છે.