આજથી લોકડાઉનમાં કોને મળશે છૂટ અને કોને નહીં, જુઓ સંપૂર્ણ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Apr 2020 09:16 AM (IST)
આ છૂટમાં સરકારે ખેડૂતોનો ખાસ રાખ્યો છે. ખેડૂતોને દરેક પ્રકારના કામમાં છૂટ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે આજથી લોકડાઉનમાં આંશિક છૂટછાટ આવામાં આવી છે. આ છૂટ હોટસ્પોટ વગરના વિસ્તારોમાં જ મળશે. સરકારે આ અંગે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી હતી. આ છૂટમાં સરકારે ખેડૂતોનો ખાસ રાખ્યો છે. ખેડૂતોને દરેક પ્રકારના કામમાં છૂટ આપવામાં આવી છે. જ્યારે ઓનલાઈનમાં પણ માત્ર જરૂરી સામાનની જ ડિલિવરી થઈ શકશે. કોને મળશે છૂટ - કરિયાણાની દુકાન - ફળ-શાકભાજીની દુકાન - હાઈવે ઢાબા - કૂરિયર સેવા - ઈ કોમર્સ - મિકેનિક - આઈટી કંપનીઓ - સરકારી ઓફિસ - પ્લંબર - ઈલેક્ટ્રિશિયન - કારપેંટર - કેબલ-ડીટીએચ વર્કર - ખેતી સાથે સંકળાયેલા કામ - પાકની ખરીદી - બાંધકામ ઉદ્યોગ - મનરેગા - લઘુ ઉદ્યોગ - બેંક, પોસ્ટ ઓફિસ - હોસ્પિટલ, નર્સિંગ હોમ - કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી - નાની નાણાકીય સંસ્થા - નોન બેંકિંગ ફાઈનાન્સ - હાઉસિંગ ફાઈનાન્સ - ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર - ગામડામાં ઈંટ ભઠ્ઠામાં કામ કરતા લોકો કોને નહીં મળે છૂટ - રેલવે - બસ - એર લાઈન્સ - શોપિંગ મોલ્સ - સિનેમા હોલ - સ્કૂલ કોલેજ - કેબ સર્વિસ દેશમાં કોરોનાના 17265 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 543ના મોત થયા છે અને 2546 સ્વસ્થ થયા છે.