લોકસભા અધ્યક્ષે કહ્યું, 'ક્યારેક તો સરકારના વખાણ કરી દો'
abpasmita.in | 04 Aug 2016 01:54 PM (IST)

નવી દિલ્લીઃ લોકસભામાં આજે સાઉદી અરબથી ભારતીય કારીગરોના પરત ફરવાના મુદ્દે વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિવેદન બાદ કૉગ્રેસના એક સભ્યની ટિપ્પણી પર લોકસભા અધ્યક્ષા સૂમિત્રા મહાજને કહ્યું કે, 'ક્યારેક તો સરકારના વખાણ કરી દો' વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે સદનમાં પોતાના તરફથી આપેલા નિવેદનમાં માહિતી આપી હતી કે, સાઉદી અરબમાં ફંસાયેલા ભારતીય કારીગરોને પરત મોકલવા માટે સાઉદી અરબની સરકાર તૈયાર થઇ ગઇ છે. અને અન્ય સહાયતા આપી રહી છે.