Amarmani Tripathi News: મધુમિતા શુક્લા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અમરમણિ ત્રિપાઠી અને તેમની પત્ની મધુમણી ત્રિપાઠીને મુક્ત કરવામાં આવ્યા છે. અમરમણિ અને મધુમણી આજે ઘરે નહીં જાય. બંને હાલ હોસ્પિટલમાં જ રહેશે. અમરમણિ ત્રિપાઠી અને મધુમણી ત્રિપાઠીની રિલીઝ પર તેમના પુત્ર અમનમણિ ત્રિપાઠીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.


 અમરમણિ ત્રિપાઠીએ કહ્યું છે કે, ". 20 વર્ષથી અમે અમારા માતા-પિતા માટે આની રાહ જોઈ રહ્યા હતા. આજે તે ક્ષણ આવી ગઈ છે. હું અને મારો પરિવાર બધા ખૂબ ખુશ છીએ. દરેક લોકો ખુશ છે, તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. " અગાઉ મધુમિતા શુક્લા હત્યા કેસમાં જેલ વિભાગ દ્વારા અમરમણિ ત્રિપાઠી અને તેની પત્ની મધુમણિને મુક્ત કરવાનો આદેશ જાહેરી કરવામાં આવ્યો હતો. ગોરખપુર જેલના સુપરિન્ટેન્ડેન્ટ દિલીપ પાંડેએ શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી હતી.


 યુપી સરકારના જેલ વહીવટ અને સુધારણા વિભાગના વિશેષ સચિવ મદન મોહને ગુરુવારે રાજ્યની 2018ની મુક્તિ નીતિનો ઉલ્લેખ કરીને અમરમણિ ત્રિપાઠીની અકાળે મુક્તિ અંગેનો આદેશ જારી કર્યો હતો. આદેશને ટાંકીને અધિકારીએ કહ્યું કે, વિભાગે તેમની વૃદ્ધાવસ્થા અને જેલમાં સારા વર્તનનો ઉલ્લેખ કર્યો છે. અમરમણિ 66 વર્ષના અને મધુમણી 61 વર્ષના છે. હાલમાં અમરમણિ અને તેમની પત્ની બંને બાબા રાઘવ દાસ (BRD) મેડિકલ કોલેજ, ગોરખપુરમાં છે.


 મધુમિતા શુક્લાની બહેન નિધિ શુક્લા, જે આ કાનૂની લડાઈમાં સૌથી આગળ હતી, તેણે કહ્યું હતું કે તેણે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે તેના અને તેના પરિવારના સભ્યોનો જીવ જોખમમાં છે. લખનૌની પેપર મિલ કોલોનીમાં 9 મે, 2003ના રોજ કવિ મધુમિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, તે ઘટના સમયે ગર્ભવતી હતી. અમરમણિ ત્રિપાઠીની સપ્ટેમ્બર 2003માં એક કવિયત્રીની  હત્યાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી જેની સાથે તે કથિત રીતે સંબંધમાં હતો. આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવામાં આવી હતી.


 દેહરાદૂનની એક અદાલતે ઓક્ટોબર 2007માં મધુમિતાની હત્યા માટે અમરમણિ ત્રિપાઠી અને તેની પત્ની મધુમણી ત્રિપાઠીને આજીવન કેદની સજા ફટકારી હતી, બાદમાં નૈનીતાલ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા દંપતીની દોષિતતાને યથાવત રાખવામાં આવી હતી. અમરમણિ ત્રિપાઠી અને તેમની પત્ની પણ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે હાલમાં BRD મેડિકલ કોલેજ ગોરખપુરમાં છે.