ભોપાલઃ  મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસના ઝડપથી વધતા જતા કેસોથી ચિંતિત રાજ્ય સરકારે રવિવારે વધુ ચાર જિલ્લાઓ બેતુલ, છીંદવાડા, રતલામ અને ખારગોનમાં લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ભોપાલ અને જબલપુરમાં દર રવિવારે તાળાબંધીનો અમલ કરવાનો નિર્ણય પહેલા જ લેવામાં આવી ચુક્યો છે.


એક અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ માહિતી આપી હતી. શનિવારે રાત્રે 10 વાગ્યથી સોમવારે સવારે છ વાગ્યા સુધી રાજ્યના સાત શહેરોમાં લોકડાઉન થશે. તેમણે માહિતી આપી કે રાજ્યમાં કોવિડ -19 ને અટકાવવા માટે અત્યાર સુધી 26,90,646 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં દરરોજ ત્રણ લાખ લોકોને રસી આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


બુધવારે દેશમાં કોરોનાની શું છે સ્થિતિ


કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,17,34,058


કુલ રિકવરી 1,12,05,160


કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,68,457  


કુલ મૃત્યુઆંક 1,60,441 પર પહોંચ્યો છે.


 દેશમાં 5 કરોડ 8 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. જેમાં 79 લાખથી વધુ હેલ્થવર્કર્સ સામેલ છે. ઉપરાંત 83 લાખ 33 હજાર ફ્રન્ટ લાઈન વર્કસે પ્રથમ ડોઝ અને 30 લાખ 60 હજારે બીજો ડોઝ લીધો છે. 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 2 કરોડ લાભાર્થી અને 45 વર્ષી વધુની ઉંમરના 50 લાખ લાભાર્થીએ ડોઝ લીધો છે. ગઈકાલે 23.46 લાખ લોકોએ રસીનો ડોઝ લીધો હતો.


દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.  આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે. મહારાષ્ટ્રની હાલત સૌથી ચિંતાજનક છે.


ગુજરાતમાં કોરોના સામે લડવા મોદી સરકારે કેટલા કરોડ ફાળવ્યા ? રૂપાણી સરકારે કેટલા ખર્ચ્યા, આંકડો જાણીને ચોંકી જશો


Ahmedabad Coronavirus Case: અમદાવાદની સ્થિતિ ચિંતાજનક, સતત બીજા દિવસે નોંધાયા 500થી વધુ કેસ


રાશિફળ 25 માર્ચ: આજે છે આમલકી એકાદશી, જાણો કેવો રહેશે તમારો દિવસ