ચેન્નઈઃ મદ્રાસ હાઈ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ યાયુર્વેદ અને દિવ્ય મંદિર યોગ ટ્રસ્ટ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ દંડ પતંજલિના એ દાવા માટે લગાવ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમનું આયુર્વેદિક સૂત્રીકરણ કોરોનિલ કોરોના વાયરસને ઠીક કરી શકે છે. જણાવીએ કે આ પહેલા મદ્રાસ હાઈ કોર્ટે કોરોના વાયરસની સારવારને લઈને રજૂ કરવામાં આવેલ કોરોનિલના ટ્રેડમાર્કના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો.


જસ્ટિસ સીવી કાર્તિકેયને ચેન્નઈની કંપની અરૂદ્રા એન્જીનિયરિંગ લિમિટેડની અરજી પર 30 જુલાઈ સુધી આ વચગાળાનો આદેસ આપ્યો હોત. અરૂદ્રા એન્જીનિયરિંગ લિમિટેડે દાવો કર્યો હતો કે વર્ષ 1993થી તેમની પાસે કોરોનિલ ટ્રેડમાર્ક છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, વર્ષ 1993માં ‘કોરોનિલ-213 એસપીએલ’ અને ‘કોરોનિલ-92 બી’નું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેઓ ત્યારથી તેને રિન્યૂ કરાવી રહ્યા છે.

રોજ કોરોનિલના 10 લાખ પેકેટની માગ- બાબા રામદેવ

બાબા રામદેવે બુધવારે દાવો કર્યો હતો કે પતંજલિ આયુર્વેદ કોરોનિલની માગને પૂરી કરવા માટે મથી રહી છે. અત્યરા સુધી તે હાલમાં રોજ માત્ર એક લાખ પેકેટ જ ઉપલબ્ધ કરાવી રહી હતી. તેમણે કહ્યું કે, આજે રોજ કોરોનિલના 10 લાખ પેકેટની માગ થઈ રહી છે, પરંતુ અમે માત્ર એક લાખ પેકે જ ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.

રામદેવે આગળ કહ્યું કે, પતંજલિ આયુર્વેદે કોરોનિલની કિંમત માત્ર 500 રૂપિયા રાખી છે, પરંતુ જો અમે તેની કિંમત 5000 રૂપિયા રાખી હોત તો આજે અમે સરળતાથી પાંચ હજાર કરોડ રૂપિયા કમાઈ શક્યા હોત. પરંતુ અમે એવું નથી કર્યું.