મહારાષ્ટ્રમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે. 25 વર્ષનાં આદિત્ય ઠાકરે ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં જન આશિર્વાદ યાત્રા પર નિકળ્યા હતાં. આ કાર્યક્રમનો હેતૂ લોકોને ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવાનો હતો.
મહારાષ્ટ્રની 288 બેઠકો પર 21 ઓક્ટોબરના ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરના પરિણામ આવશે. નામાંકનની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર છે. 2014માં ભાજપ-શિવસેના અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. તે સમયે ભાજપ 122 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું જ્યારે શિવસેનાને 63 બેઠકો મળી હતી.