Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો, પરંતુ નવા વેરિઅન્ટના કેસ વધ્યા, જાણો

રવિવારે મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસ(Coronavirus)ના ચેપના 2,186 નવા કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીઓના મોત થયા હતા.

Continues below advertisement

Maharashtra Corona Update: રવિવારે મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસ(Coronavirus)ના ચેપના 2,186 નવા કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીઓના મોત થયા હતા. આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. રાજ્યના આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 80,19,391 પર પહોંચી ગઈ છે જ્યારે ચેપને કારણે 1,48,026 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં રાજ્યમાં 15,525 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Continues below advertisement

પુણેની બીજે મેડિકલ કોલેજના તાજેતરના અહેવાલ અનુસાર, રવિવારે, BA.4નો એક કેસ, BA.5ના 18 અને BA.2.75ના 17 કેસ કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના પેટા પ્રકાર તરીકે નોંધાયા હતા. આ તમામ કેસ પુણેમાં સામે આવ્યા છે. રાજ્યમાં બી.એ.4 અને 5ના કુલ 132 કેસ નોંધાયા છે. તેમાંથી પુણેમાં 84, મુંબઈમાં 33, નાગપુર, પાલઘર અને થાણેમાં દરેક 4 અને રાયગઢમાં 3 છે.

નવા વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે

આ સાથે જ રાજ્યમાં બી.એ.2.75ના કુલ 57 કેસ છે. તેમાંથી પુણેમાં 37, નાગપુરમાં 14, અકોલામાં 4, થાણે અને યવતમાલમાં એક-એક કેસ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે છેલ્લા એક દિવસમાં 2,179 દર્દીઓએ ચેપને માત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78,55,840 દર્દીઓ આ રોગમાંથી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19નો દૈનિક ચેપ દર 5.86 ટકા છે અને સાજા થવાનો દર અને મૃત્યુ દર અનુક્રમે 97.96 ટકા અને 1.84 ટકા છે.


મૃત્યુઆંક વધે છે

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ગત દિવસે કોરોના વાયરસના 2382 નવા કેસ નોંધાયા હતા જ્યારે 2853 લોકો સાજા થયા હતા. રાજ્યમાં છેલ્લા દિવસે સંક્રમણને કારણે 8 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં જુલાઈમાં કોરોનાના દૈનિક આંકડામાં ઘટાડો થયો છે, પરંતુ મૃત્યુઆંક વધ્યો છે.

આ પણ વાંચો...

India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત

Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત

Gandhinagar: ગુજરાતને ફાટકમુક્ત બનાવવા 443 કરોડના કામોને મંજૂરી, જુનાગઢમાં આ જગ્યાએ બનશે રેલ્વે અંડરબ્રીજ

Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા

Continues below advertisement
Sponsored Links by Taboola