મણિશંકર ઐય્યરે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ટીકા કરી હતી. ઐય્યરે લખ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહે હાલમાં જ આપણા ઉત્તરી બોર્ડર પર એક પેલેસ્ટાઇન બનાવી દીધું છે. આમ કરવા માટે પહેલા તેમણે ઘાટીમાં પાકિસ્તાની હુમલાનું ખોટુ નાટક કર્યુ જેથી 35 હજાર વધારાના જવાનોની તૈનાતી કરી શકાય જ્યાં અગાઉથી જ લાખો જવાનોની હાજરી છે.
ઐય્યરે લખ્યું કે, ત્યારબાદ હજારો અમરનાથ મુસાફરો અને પ્રવાસીઓને ઘાટીમાંથી બહાર કાઢવામાં આવ્યા. 400 દુકાનદારોની અટકાયત કરાઇ. તેમણે સ્કૂલ-કોલેજ, દુકાનો, પેટ્રોલ પંપ, ગેસ સ્ટેશન બંધ કરાવી દીધા અને શ્રીનગર અને ઘાટીના અન્ય શહેરો ખાલી થઇ ગયા. ઘાટીના માતા પિતા દેશના બીજા વિસ્તારોમાં રહેતા પોતાના બાળકોનો સંપર્ક કરી શકતા નથી. સંપર્કના તમામ સાધનો ઠપ્પ કરી દીધા છે.