પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ નોટબંધીની ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે હું સરકારના નિર્ણય પર પુરી રીતે અસહમત નથી. પરંતુ નોટબંધીને લાગુ કરવામાં અવ્યવસ્થા સર્જાઇ છે. તેમણે કહ્યું કે, સામાન્ય લોકો સરકારના નિર્ણયથી તકલીફ થઇ છે. તેમણે કહ્યું કે ગરીબો માટે 50 દિવસ પીડાદાયક છે. નોટબંધીને કારણે દેશની જીડીપીમાં 2 ટકાનો ઘટાડો થયો છે.
તેમણે કહ્યું કે, ખેતી, નાના ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રોને નુકશાન પહોંચ્યું છે. દરરોજ નવા નિયમો બનાવવા યોગ્ય નથી. નોટબંધીને યોગ્ય રીતે લાગુ કરવામાં પીએમઓ નિષ્ફળ નિવડ્યું છે.