Air Travel Covid Guidelines: દેશ અને દુનિયામાં કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે વિમાનમાં મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું હવે ફરજિયાત રહેશે નહીં, પરંતુ મુસાફરોએ તેનો ઉપયોગ કરવાનું બંધ ન કરવું જોઈએ. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને વાયરસનો કહેર હવે ઘણો ઓછો થયો છે. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને કોરોનાને લઈને લાદવામાં આવેલા નિયંત્રણો પણ ઓછા કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.






નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડની નવી માર્ગદર્શિકા અનુસાર, હવે ઘરેલુ હવાઈ મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક ન પહેરવા બદલ મુસાફરોને દંડ કરવામાં આવશે નહીં. ડોમેસ્ટિક એર પેસેન્જર્સને ફેસ માસ્ક ન પહેરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દરમિયાન ફેસ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.


હવાઈ ​​મુસાફરી દરમિયાન ફેસ માસ્ક જરૂરી નથી


મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત નથી પરંતુ કોરોનાવાયરસના કેસોની સંખ્યા ઘટી રહી હોવા છતાં તેઓએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. અત્યાર સુધી ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે માસ્કનો ઉપયોગ ફરજિયાત હતો.


દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો


છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના  501 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં  દર્દીઓની વધીને 4,46,66,676 થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા 7,918 થી ઘટીને હવે 7,561 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોનાને કારણે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 2 દર્દીઓનું મોત થયું છે. આ સાથે  મૃત્યુઆંક વધીને 5,30,535 થઈ ગયો છે.