Mehbooba Mufti House Arrest: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીને વહીવટીતંત્રએ આગામી આદેશ સુધી નજરકેદ કરી દીધા છે. મુફ્તી શ્રીનગર સ્થિત પોતાના ઘરમાં છે. નજરકેદના કારણોને લઇને વહીવટીતંત્રએ હાલમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી. મહબૂબા મુફ્તીએ તાજેતરમાં જ શ્રીનગરના હૈદરપોરા એન્કાઉન્ટરને લઇને સવાલ ઉઠાવ્યા છે.


આ એન્કાઉન્ટર બાદ તણાવભરી સ્થિતિ બનેલી છે. વાસ્તવમાં 15 નવેમ્બરના રોજ હૈદરપોરામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. પોલીસ અનુસાર આ દરમિયાન બે સામાન્ય નાગરિક અલ્તાફ ભટ અને મુદસ્સિર ગુલ માર્યા ગયા હતા.


પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર રેન્જ) વિજય કુમારે દાવો કર્યો હતો કે ગુલ આતંકવાદીઓનો નજીકનો સાથી હતો અને ભટની માલિકીના પરિસરમાં કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. આ ગેરકાયદેસર કોલ સેન્ટર આતંકીનો અડ્ડો હતું. આ મામલાની મહબૂબા મુફ્તીએ ન્યાયિક તપાસની માંગ કરી છે.


જમ્મુ કાશ્મીરમાં અનેક અથડામણો અને આતંકીઓના હુમલામાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. લગભગ એક કલાક સુધી આયોજીત બેઠકમાં જમ્મુ કાશ્મીર પોલીસ, કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ અને બીએસએફના ટોચના અધિકારી સામેલ થયા હતા.


જમ્મુ કાશ્મીરમાં આજે સુરક્ષાદળોએ ગોપાલપુરા અને પોમ્બેમાં ઓપરેશનમાં પાંચ આતંકીઓને ઠાર મરાયા હતા. તે સિવાય પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાના આતંકીઓના બે સહયોગીઓને પુલવામામાં પકડ્યા હતા.


રાજ્યના ખેડૂતો માટે આવ્યા ખરાબ સમાચાર, આ વિસ્તારોમાં વરસાદની કરાઇ આગાહી


Modi Cabinet Decision: મોદી સરકારે ગામડામાં 4G ટાવરને લઈ લીધો આ ફેંસલો, જાણો વિગત


Vadodara : યુવતીના આપઘાત કેસમાં રેલવે આઇજીએ શું આપ્યું મોટું નિવેદન? શું નોંધાશે ફરિયાદ?


Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસનો આંકડો 50ને પાર, જાણો ક્યા શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ?