નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્રમાં પોતાના સમાપન આગળ વધી રહ્યું છે, હવે મોદી સરકારનો પુરેપુરો ફોકસ નાગરિકતા સંશોધન બિલ પાસ કરાવવાનો છે. સુત્રો અનુસાર સરકાર બિલને 5 કે 9 ડિસેમ્બરે લોકસભામં રજૂ કરી શકે છે. નાગરિકતા સંશોધન બિલને આજે કેબિનેટની મંજૂરી મળવાની સંભાવના છે.


આજે કેબિનેટમાંથી મળી શકે છે મંજૂરી
કેબિનેટની મંજૂરી બાદ આને લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય.

ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.



બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય.

નાગરિકતા સંશોધન બિલને અગાઉ 19 જુલાઇ, 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જોકે સંસદનો કાર્યકાળ પુરો થવાના કારણે બિલ રાજ્યસભામાં ન હતુ પહોંચી શક્યુ. બિલનો વિપક્ષી દળો વિરોધ કરી રહ્યાં છે, જેમાં સરકારની સહયોગી જેડીયુ પણ બિલનો પુરજોશમાં વિરોધ કરી રહી છે.