નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઇપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે, અને ત્યાં વસી શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારે આ અંતર્ગત નવુ નૉટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. જોકે હજુ ખેતીની જમીનને લઇને રોક યથાવત જ છે.


જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અનુસાર, અમે ઇચ્છીએછીએ કે બહારની ઇન્ડસ્ટ્રી જમ્મુ-કાશ્મીરમાં આવે, એટલે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડમાં ઇન્વેસ્ટની જરૂર છે. પરંતુ ખેતીની જમીન માત્ર રાજ્યના લોકો માટે જ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ફક્ત ત્યાના નિવાસી જ જમીન ખરીદી -વેચામ કરી શકતા હતા, પરંતુ હવે બહારથી આવનારા લોકો પણ જમીન ખરીદીને ત્યાં પોતાનુ કામ શરૂ કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ફેંસલો જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ અંતર્ગત લીધો છે, જે અંતર્ગત કોઇપણ ભારતીય હવે જમ્મ-કાશ્મીરમાં ફેક્ટરી, ઘર કે દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે કોઇપણ પ્રકારના સ્થાનિક નિવાસી હોવાનો સબૂત આપવાની જરૂર નહીં પડે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે જ કલમ 370થી મુક્ત કરી દેવામાં આવ્યુ છે. ત્યાર બાદ 31 ઓક્ટોબર 2019એ જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો હતો. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ થયાના એક વર્ષ પુરુ થવા પર જમીન કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.