નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, કોલેજના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા 10 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી રહી છે.


આ મેસેજમાં કરાયેલા દાવા પ્રમાણે, કેન્દ્ર સરકારના નેશનલ સ્કોરલરશિપ પોર્ટલ દ્વારા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને રૂપિયા 10 હજારની સ્કોલરશીપ અપાઈ રહી છે. જો કે કેન્દ્ર સરકારે આ દાવાને ખોટો ગણાવીને આ પ્રકારના ખોટા અહેવાલો અને ખોટી વેબસાઈટ્સથી દૂર રહેવા કહ્યું છે.

ભારત સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, આ સમાચાર તદ્દન ખોટા છે.

પીઆઈ ફેક્ટ ચેક દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરાઈ છે કે, સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલા આ સમાચાર સાચા નથી અને કેન્દ્ર સરકાર દ્વારાઆવી કોઈ સ્કોલરશિપ આપવામાં આવતી નથી તેથી લોકોએ આવી વાતોમાં આવવું નહીં. આ મેસેજ લોકોને ગેરમાર્ગે દોરનારો છે તેથી લોકોએ તેની વાતોમાં આવવું નહીં.