Monsoon in Kerala: ભારતીય હવામાન વિભાગે (IMD) ચોમાસાને લઈને એક લેટેસ્ટ મોટું અપડેટ આપ્યુ છે. IMD અનુસાર આગામી 5 દિવસમાં ચોમાસું કેરળમાં આવી શકે છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ સમય દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ રહેવાની શક્યતા છે.


આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં સ્થિત ભારતીય હવામાન વિભાગના કેન્દ્ર અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ રહેવાની શક્યતા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, માલદીવના બાકીના ભાગો અને કોમોરિન પ્રદેશમાં આગળ વધવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લક્ષદ્વીપ પ્રદેશ, કેરળના કેટલાક ભાગો, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીના ભાગો, ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વ રાજ્યોના કેટલાક ભાગોમાં ચોમાસું આવવાની શક્યતા છે.






રેમલ વાવાઝોડું નબળુ પડ્યુ 
IMD કહે છે કે દરિયાકાંઠાના બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળ પર ચક્રવાતી તોફાન "રેમલ" છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને આજે બપોર સુધીમાં તે ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં બદલાઈ શકે છે.


પહેલા 31 મે કે પછી 1 જૂને આવવાનું હતુ અનુમાન 
અગાઉ ચોમાસાને લઈને આગાહી કરતી વખતે IMDએ કહ્યું હતું કે ચોમાસું આંદામાન નિકોબાર પહોંચી ગયું છે. ચોમાસું 31મી મે અથવા 1લી જૂને કેરળમાં પ્રવેશી શકે છે. IMDનો અંદાજ છે કે તે જે ઝડપે આગળ વધી રહી છે તેના આધારે તે 18 અને 20 જૂનની વચ્ચે ગોરખપુર અથવા વારાણસી થઈને યુપીમાં પ્રવેશ કરશે.


દિલ્હી-એનસીઆરમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી ? 
હવામાન વિભાગે કહ્યું કે, ચોમાસું 15 જૂન સુધીમાં બિહાર પહોંચી શકે છે. આ ઉપરાંત ચોમાસું 15 થી 20 જૂન સુધી મધ્યપ્રદેશ, 25 જૂનથી 30 જૂન સુધી રાજસ્થાન, 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર અને 15 જૂન સુધીમાં છત્તીસગઢ પહોંચવાની સંભાવના છે. IMDના જણાવ્યા અનુસાર 30 જૂન સુધીમાં દિલ્હી અને NCR શહેરોમાં ચોમાસું આવી શકે છે. આ રાજ્યોમાં પણ આ વખતે ચોમાસા દરમિયાન છેલ્લાં કેટલાંક વર્ષો કરતાં વધુ વરસાદ થવાની ધારણા છે.