દેશમાં આજે એક જ દિવસમાં કોરોના વેક્સીનના રેકોર્ડ 80 લાખથી વધારે ડોઝ લોકોને લગાવવામાં આવ્યા છે. તેના પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે અને ટ્વિટ કરીને કહ્યું આજે રસીકરણની રેકોર્ડ તોડતી સંખ્યા ઉત્સાહજનક છે. કોવિડ19 સામેની લડાઈમાં રસી આપણનું સૌથી મજબૂત હથિયાર બની રહેશે. વેલ ડન ઈન્ડિયા!



આજે જ કોરોના રસીકરણની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે. જે અનુસાર, કેંદ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને વેક્સીન આપશે. ભારત સરકાર દેશમાં સ્થિત વેક્સિન પ્રોડક્શન કરતી કંપનીઓ પાસેથી કોરોનાની રસી 75 ટકા ખરીદશે. 


પહેલા રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને 50 ટકા ખરીદવાની મંજૂરી આપી હતી. પરંતુ રાજ્યો દ્વારા પૈસા સહિત કેટલીક સમસ્યાઓની ફરિયાદ બાદ પ્રધાનમંત્રી મોદીએ રસીકરણના દિશાનિર્દેશોમાં બદલાવની જાહેરાત કરી હતી.


દેશમાં 88 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત બીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 53256 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1422 લોકોના મોત થયા છે. આ પહેલા 23 માર્ચના રોજ 47262 કોરોના કેસ નોંધાયા હતા. વિતેલા દિવસે 78190 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 26356 એક્ટિવ કેસ ઘટ્યા છે.









દેશમાં સતત 39માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. અત્યાર સુધી 39 કરોડ 24 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 14 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.


 


દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘઠીને 3 ટકાથી ઓછો થયો છે. કોરના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.