બિહાર: મોતિહારીમાં મિડ ડે મીલ બનાવતા સમયે બોયલર ફાટ્યું, 4ના મોત
abpasmita.in | 16 Nov 2019 11:35 AM (IST)
બિહારના મોતીહારીમાં બાળકો માટે મીડ ડે મીલ બનાવી રહેલી એક એનજીઓના રસોડામાં બોઇલર ફાટવાની ઘટના બની છે. જેમાં ચાર લોકોના મોત થયા છે.
પટના: બિહારના મોતીહારીમાં બાળકો માટે મીડ ડે મીલ બનાવી રહેલી એક એનજીઓના રસોડામાં બોઇલર ફાટવાની ઘટના બની છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી છે. જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટના સુગૌલી થાનાના બંગરા નજીકની છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ત્યાં દોડી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ધડાકો એટલો જબરદસ્ત હતો કે મકાનની દિવાલો પણ ભાંગી પડી હતી. એનજીઓનો જે સુપરવાઇઝ આ રસોડાના નિરીક્ષણની જવાબદારી સંભાળે છે એ લાપતા હતો. પોલીસ એની તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્તોને નજીકની હૉ઼સ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.