શ્રીનગરઃ સેનાએ શનિવારે જણાવ્યું હતુ કે, નૌગામ સેક્ટરમાં ગુરુવારે મારવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનના નિશાન વાળા ગ્રેનેડ મળી આવ્યા છે. આ એ વાતનો પુરાવો છે કે પાક આતંકવાદનું સમર્થન કરી રહ્યું છે. સેનાના એક પ્રવક્તાએ કહ્યુ કે, 'આતંકવાદી પાસે મળી આવેલ હેન્ડ ગ્રેનેડ અને યૂબીજીએલ ગ્રેનેડો પર પાકિસ્તાન ઑર્ડિનેંસ ફેક્ટરીનું નિશાન હતું. જે એ વાતનો પુરાવો છે કે,  આતંકવાદને સમર્થન કરવામાં પાકિસ્તાનનો હાથ છે.' તેમણે જણાવ્યું હતું કે, સેનાને આતંકવાદીઓ પાસેથી મળેલી ખાવા પીવાની ચીજવસ્તુઓ અને દવાઓ પર પણ પાકિસ્તાની નિશાન હતી.