નવી દિલ્હીઃ પંજાબમાં આગળ આવનારી ચૂંટણીને લઈને હવે પૂર્વ ક્રિકેટર અને નેતા સિદ્ધૂએ કપિલ શર્માનો શો છોડવાનો નિર્ણય કર્યો છે. સિદ્ધીની પત્ની નવજોત કૌરે જણાવ્યું કે, સિદ્ધુ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન પંજાબની રાજનીતિમાં આપશે. માટે 30 સપ્ટેમ્બર સધી કપિલ શર્માના તમામ શો રેકોર્ડ કરીને સિદ્ધુ તેને ગુડ બાય કહી દેશે.


કપિલ શર્માના શોથી સિદ્ધુને વર્ષે 25 કરોડ રૂપિયાની આવક થાય છે. હવે સિદ્ધુ એક ઓક્ટોબરથી અમૃતસર પહોંચી રહ્યા છે જ્યાં તેમના જોરદાર સ્વાગતની તૈયારી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ છોડ્યા અને આમ આદમી પાર્ટી સાથે વાત ન બનતા ક્રિકેટરમાંથી રાજનેતા બનેલ નવજોત સિંહ સિદ્ધુએ આવાજ એ પંજાબ નામે એક પક્ષ બનાવ્યો છે.