Bollywood Drug Case:  મશહૂર અભિનેતા અર્જુન રામપાલને લઇને NCBએ દક્ષિણ આફ્રિકા દૂતાવાસને ચિઠ્ઠી લખીને તેમના દક્ષિણ આફ્રિકા ભાગી જવાની આશંકા વ્યક્ત કરી છે. શું છે સમગ્ર મામલો જાણીએ..


 


ગત નવેમ્બર અભિનેતા અર્જુન રામપાલના ઘરે રેડ પડી હતી. તેમના ઘર પરથી પ્રતિબંઘિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે  ડ્રગ્સ કેસ(Drug Case)માં રિયા ચક્રવર્તીને જેલ જવું પડ્યું હતું. તે કેસમાં જ અર્જુન રામપાલને લઇને મોટો ખુલાસો થયો છે.નોર્ટોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે NCB દ્વારા દાખલ ચાર્જશીટમાં અર્જુન રામપાલની સંદિગ્ધ ભૂમિકા ડ્રગ્સ કેસમાં જોવા મળી રહી છે. આ મામલે જ NCBને શંકા છે કે, અર્જુન રામપાલ દક્ષિણ આફ્રિકા ભાગી શકે છે.


ચાર્જશીટ મુજબ મુંબઇ NCB 3 ડિસેમ્બર 2020માં દક્ષિણી આફ્રિકાને એક લેટર લખીને કહ્યું હતું કે, જે કેસમાં રિયાની ધરપકડ થઇ છે. તે જ ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલ એક સંદિગ્ધ છે અને શંકા છે કે તે ભારત છોડીને સાઉથ આફ્રિકા ભાગી શકે છે.એનસીબીએ અપીલ કરી છે કે જો તે  વિઝા અરજી કરે તો કાયદા મુજબ આ મુદ્દે નિર્ણય લેવાય.  અર્જુન રામપાલની પત્નીના ભાઇની ધરપકડ પણ ડ્રગ્સ કેસમાં જ થઇ છે. જે આફ્રિકી નાગરિક છે. NCB બે વખત ડ્રગ્સ કેસ માટે અર્જુન રામપાલની પૂછપરછ કરી ચૂકી છે.  જો કે અર્જુન રામપાલે ઘરેથી મળેલી દવાને તેમના ડોગી અને તેની બહેનની એક્ઝાઇટી (ANXIETY)  ની દવા ગણાવી હતી.


અર્જુન રામપાલના ઘરેથી મળી હતી બે પ્રકારની ટેબલેટ્સ


એબીપી ન્યુઝને મળેલી જાણકારી મુજબ એનસીબીને બે પ્રકારની દવા અર્જુન રામપાલની ઘરેથી મળી હતી. તેમાંથી એક ટેબલેટસ તો તેમના ડોગીની હોવાનું જણાવ્યું હતું. જેને વેટેનરી  એકસપર્ટે પ્રિસ્ક્રાઇબ કરી હતી. બીજી એક ટેબલેટ મળી હતી. જે દિલ્લીના સાયકિયાટ્રિસ્ટે તેમની બહેનને (ANXIETY)ની સમસ્યાને ધ્યાનમાં રાખતા પ્રિસ્ક્રાઇબ કરી હતી.