NEETની પરીક્ષા ન આપી શકનાર વિદ્યાથીઓ માટે ફરીથી સારા સમાચાર આવ્યા છે. જે પરીક્ષાર્થીઓ કોવિડ 19 અને કન્ટેઇનમેંટ ઝોનના કારણે પરીક્ષા આપી શક્યા ન હતા તેમના માટે કેંદ્ર સરકાર દ્વારા બીજી વખત પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 16 ઓક્ટોબરે આ પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે.




કેન્દ્ર સરકારે દેશમાં મેડિકલ પ્રવેશ આપવા માટેની ખાસ ગણાતી NEETની પરીક્ષા બીજી વાર લેવાનો નિર્ણય કર્યો છે. 14 ઓક્ટોબરે ફરીથી આ પરીક્ષા લેવામાં આવશે. 6 ઓક્ટોબરે આ પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ઘણા રાજ્યોના વિરોધ છતાં પણ આ પરીક્ષા એક વાર લેવાઈ ચૂકી છે, જેનું પરિણામ આગામી 16 ઓક્ટોબરે જાહેર થવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ જે કોવિડ-કન્ટેઇનમેંટ ઝોનમાં રહેતા હતા તે પરીક્ષા આપી શક્યા ન હતા તેમના માટે ખાસ 14 ઓક્ટોબરે ફરીથી આ પરીક્ષા લેવાનું સરકારે નક્કી કર્યું છે.