નિર્ભયાની માતા આશા દેવીએ કોર્ટના ફેંસલા બાદ કહ્યું, મારી પુત્રીને ન્યાય મળ્યો છે. 4 ગુનેગારોને ફાંસી આપવાથી દેશની મહિલા સશક્તિકરણ થશે. આ નિર્ણયથી ન્યાયિક પ્રણાલી પર લોકોનો વિશ્વાસ મજબૂત થશે.
2012ની દિલ્હી ગેંગરેપની પીડિતા નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યું, હું કોર્ટના નિર્ણયથી ખુશ છું. દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે; આ નિર્ણય આવા ગુનાઓ કરનારા લોકોમાં ભય પેદા કરશે.
આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી વિશે સુનાવણી કરવામાં આવી હતી. સરકારી વકીલે જજને આરોપીઓ સામે ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના માતા-પિતા અને 3 દોષિતો પવન, વિનય અને અક્ષય તરફથી વકીલ એપી સિંહ અને દોષિત મુકેશ તરફથી વકીલ એમએલ શર્મા હાજર રહ્યા હતા.
INDvSL: બીજી T20માં આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે ભારત
IND v SL: આજે બીજી T 20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ