આ કેસમાં દોષી પવનના વકીલ એપી સિંહે પટિયાલા હાઉસ કોર્ટને જણાવ્યુ કે, પવનની ક્યૂરેટિવ પિટીશન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હવે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલવામાં આવી છે. ત્યારબાદ કોર્ટે વકીલોને બપોરે ફરીથી સુનાવણી માટે બોલાવ્યા હતા.
પવને ફાંસીને ઉંમરકેદમાં ફેરવવાની વિનંતી કરી હતી. પવન ઉપરાંત ત્રણેય દોષીઓ વિનય, મુકેશ, અક્ષયના કાયદાકીય વિકલ્પ પહેલાથી જ પુરા થઇ ગયા છે. નિર્ભયાના દોષીઓને મંગળવારે સવારે ફાંસી પર લટકાવવાના છે.
નિર્ભયાના દોષીઓમાંથી હવે પવન પાસે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલવાનો વિકલ્પ છે. આવામાં જો તે આજે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી દે છે તો કાયદેસર રીતે કોર્ટે કાલે થનારી ફાંસી પર રોક લગાવવી પડશે.