જ્યારે પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી ફાંસીની સજાને ઉંમર કેદમાં બદલવાની માંગ કરી છે એવામાં માનવામાં આવી રહ્યું છે કે દોષિતોની ફાંસી ટળી શકે છે. વાસ્તવમાં પવન ગુપ્તાએ અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન કરી નહોતી. તેણે અત્યાર સુધી રાષ્ટ્રપતિ પાસે પણ દયા અરજી પણ કરી નથી.
દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, પવન ગુપ્તાએ પોતાની અરજીમાં એકવાર ફરી ઘટના સમયે સગીર હોવાની વાત કરી છે. એપી સિંહનું કહેવું છે કે ઘટના સમયે પવન 18 વર્ષથી ઓછી ઉંમરનો હતો.