નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના તમામ 4 દોષિતોને તિહાડ જેલ વહીવટીતંત્રએ લેખિતમાં સૂચના આપી છે કે અંતિમ મુલાકાત ક્યારે કરવાની છે. તે પોતાના પરિવાર અને જેલ વહીવટીતંત્રને જણાવી દે. નવા આદેશમાં એ વાતનો ઉલ્લેખ છે કે મુકેશ અને પવન અંતિમ મુલાકાત કરી ચૂક્યા છે. દોષિત અક્ષય અને વિનયને પણ પરિવારજનો સાથે અંતિમ મુલાકાત માટે કહેવામાં આવી ચૂક્યું છે. સાપ્તાહિક મુલાકાત ચારેયની હજુ ચાલુ છે.


નિર્ભયાના ચારેય દોષિતોને ત્રણ માર્ચના રોજ સવારે છ વાગ્યે ફાંસી આપવામાં આવશે.પટિયાલા હાઉસ કોર્ટે 17 ફેબ્રુઆરીના રોજ નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગ કરતી અરજી પર આ નિર્ણય આપ્યો હતો.