MUMBAI : એબીપી નેટવર્કની આઈડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટ 2022માં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ વક્તા તરીકે હાજર રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "રાષ્ટ્રવાદ, સુશાસન અને અંત્યોદય એ અમારી પાર્ટીના ત્રણ આધારસ્તંભ છે. અમારું લક્ષ્ય ત્યારે પૂરું થશે જ્યારે છેલ્લા વ્યક્તિને રોટી, કપડા અને મકાન મળશે." કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "હું અહીં વિરોધીઓને એટલું જ કહીશ કે રાજકારણમાં કોઈ પણ હાર અંતિમ હોતી નથી. અમે પણ બે બેઠકો પર આવવાથી રોકાયા નથી ચાલતા રહ્યા." આ સાથે જ તેમણે આમ આદમી પાર્ટી અંગે મોટું નિવેદન આપ્યું. 


શું કહ્યું નીતિન ગડકરીએ ? 
એબીપી નેટવર્કની આઈડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટ 2022માં  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા વિશે નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું કે ગુજરાત સહિતના રાજ્યમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડે તો ભાજપને થશે ફાયદો તેમણે એબીપી ન્યૂઝના કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના ઉમેદવારોના કારણે ભાજપ વિરોધી મતનું વિભાજન થાય છે..જેથી જો આ પાર્ટીઓ મેદાને આવશે તો ભાજપનો જીતવાનો રસ્તો સરળ બનશે.


AAP અને  BTP વચ્ચે થશે ગઠબંધન?
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને આપ નેતા ઈસુદાન ગઢવીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુ વસાવા સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ગોપાલ ઈટાલીયાએ છોટુ વસાવાને આપમાં જોડાવવા આમંત્રણ આપ્યું છે. આ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે છે. 


ગુજરાતમાં  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની  કેટલી શક્યતા?
2015માં દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું. જો કે કેજરીવાલના રાજીનામાં બાદ એ સરકાર પડી ભાંગી અને સાથે  AAP અને કોંગ્રેસનું ગઠબંધન પણ તૂટી ગયું. દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પરથી એ પણ પ્રશ્ન થાય કે ગુજરાતમાં  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની  કેટલી શક્યતા? ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપને હરાવવા ભાજપ વિરોધી તમે પક્ષો સાથે આવી ગઠબંધન ખાતે તેવી પણ શકયતા છે.