નવી દિલ્લી: સ્વચ્છતા અભિયાનને 2 વર્ષ પૂરા થવાના અવસર પર આજે રાષ્ટ્રીય સ્મારકો પર પોલીથીન બેગ પર પ્રતિબંધ લાગી જશે. પર્યટન મત્રી મહેશ શર્માએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાને આગળ વધારતા આ વર્ષે બાપૂના જન્મદિવસ પર બધા જ રાષ્ટ્રીય સ્મારકો અને પર્યટન સ્થળો પર પોલીથીનને પ્રતિબંધ કરવાનો નિર્ણય લેવાનોમાં આવ્યો છે..જો કે તેમણે સ્પષ્ટ કર્યુ છે કે પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી..પરંતુ તે બોટલો કચરપેટીમા જ નાખવાની રહેશે..આ પ્રતિબંધ સ્મારકોના 100 મીટરના વિસ્તારોમાં જ લાગુ પડશે.