Noida Twin Towers demolition: નોઈડામાં સુપરટેક ટ્વીન ટાવર્સને તોડવા માટે 3,500 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્વીન ટાવરને ધ્વસ્ત કરવા માટે ઉપયોગમાં લેવાયેલા જથ્થાની સરખામણી ભારતની વિવિધ વિસ્ફોટક મિસાઈલો સાથે કરવામાં આવી રહી છે. આ મજુબ વિસ્ફોટકોનો જથ્થો અગ્નિ-V મિસાઈલના ત્રણ શસ્ત્રો અથવા બ્રહ્મોસ મિસાઈલના 12 અથવા 4 પૃથ્વી મિસાઈલ જેટલો છે.


અગ્નિ-V મિસાઈલઃ
રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રસિદ્ધ કુતુબ મિનાર કરતાં પણ ઊંચા, નોઈડા સેક્ટર 93Aમાં સુપરટેક ટ્વીન ટાવર રૂ. 20 કરોડના ડિમોલિશનના કામમાં કાટમાળ બની ગયું છે. આ બિલ્ડીંગને 3500 કિલોથી વધુના વિસ્ફોટક સાથે ધ્વસ્ત કરવામાં આવી છે. આ કુલ વિસ્ફોટકના જથ્થાને મિસાઈલના વિસ્ફોટકોના જથ્થા સાથે સરખાવીએ તો અગ્નિ-V મિસાઈલનું વજન લગભગ 50,000 કિલોગ્રામ છે. આ મિસાઈલ બે મીટરના વ્યાસ સાથે 1.75 મીટર ઉંચી છે. 1,500-કિલોગ્રામ વોરહેડને મિસાઈલની ટોચ પર મૂકવામાં આવે છે.


આ મિસાઇલ રિંગ લેસર ગાયરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ (NavIC) થી સજ્જ છે જે સેટેલાઇટ માર્ગદર્શન સાથે કામ કરે છે. મિસાઈલ તેના લક્ષ્યને ચોક્કસ ચોકસાઈથી હિટ કરી શકે છે અને તેને મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરી શકાય છે.






બ્રહ્મોસ મિસાઇલઃ
બ્રહ્મોસ 300 કિલોગ્રામ (પરંપરાગત તેમજ પરમાણુ બંને)ના વોરહેડને વહન કરવામાં સક્ષમ છે અને તેની ટોચની સુપરસોનિક ઝડપ મેક 2.8 થી 3 (આશરે ધ્વનિની ઝડપ કરતાં ત્રણ ગણી) છે. આ ફ્લાઇટ ટેસ્ટનું નિરીક્ષણ રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશનના તમામ સેન્સર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ટેલિમેટ્રી, રડાર અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે જે પૂર્વીય કિનારે અને ડાઉન રેન્જના જહાજો પર તૈનાત કરવામાં આવે છે.


પૃથ્વી મિસાઇલઃ
પૃથ્વી એ ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી સપાટીથી સપાટી પરની ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઈલ (SRBM) છે. તે ભારતના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા તૈનાત કરવામાં આવે છે.